હળવદની ધરતીએ ભારત દેશને બે પનોતા પુત્રો પ્રદાન કાર્ય છે. જેમાં પહેલા સ્થાને છે સ્વ. ડૉ એચ એલ ત્રિવેદી અને બીજા સ્થાને ટેકનોક્રેટ શામ પિત્રોડા એ હળવદની સાથે દેશ વિદેશમાં ભારતનું ગૌરવ વધાર્યું છે ત્યારે આજે હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે ઈસરોનુ એક્ઝિબેશન ખુલ્લું મૂકીને સુરેન્દ્રનગર સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાએ વિક્રમભાઈ સારાભાઈને પુષ્પાંજલિ આર્પી હતી. તેમજ આમંત્રિત રાજકીય આગેવાનોએ દિપ પ્રાગ્ટય કરી બે દિવસીય એક્ઝિબેશન ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ઈસરોનું આ એક્ઝિબેશન જીલ્લાના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નિહાળશે. જેમા સ્પેશ શટલ, અંતરીક્ષ યાન, ઉપગ્રહો, ચંદ્ર યાન 2ની પ્રતિકૃતિઓ એક્ઝિબેશનમાં રાખવામાં આવી હતી.
આ એક્ઝિબેશનમાં મોટી સંખ્યામાં શાળામાં ભણતા બાળકોને, બીએસસીના વિદ્યાર્થીઓએ માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા અને વિક્રમ ભાઈ સારાભાઈ ની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના દરેક જિલ્લામાં ઈસરોનુ એક્ઝિબેશન યોજાશે. જેમાં ઈસરોએ મેળવેલી સિધ્ધિઓ તેમજ આવનારા પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવશે. ત્યારે આજે હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે ઈસરોનુ એક્ઝિબેશનમાં સુરેન્દ્રનગર સાંસદ ડૉ.મહેન્દ્ર ભાઈ મુંજપરા ,વૈજ્ઞાનિક સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.