છોટાઉદેપુર/ 108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટના પરિવારને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી

કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા સ્વ. રમણભાઇ બારીયાના પરિવારજનોને રૂા. 50 લાખની સહાય મળતા તેઓએ સમયસર સહાય મળે એ માટે જરૂરી કાર્યવાહી કરી .

Gujarat Others
Untitled 405 108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટના પરિવારને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી

કોરોના વાયરસના સંક્રમણથી ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા 108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટ સ્વ. રમણભાઇ બારીયાના પરિવારને PMGKP યોજના હેઠળ તેમના પિવારજનોને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

છેલ્લા 13 વર્ષથી 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવામાં પાઇલોટ તરીકે ફરજ બજાવી સ્વ. રમણભાઇ બારિયાએ અનેક લોકોના જીવન બચાવ્યા હતા. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કપરા સમયમાં પણ તેમણે અનેક લોકોને સેવા આપતા આપતા સ્વ. રમણભાઇ બારીયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ, વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તા. 12/05/2021ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

સ્વ. રમણભાઇ બારીયાનું કોરોના મહામારી દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ થતાં સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તેમના પરિવારને રૂા. 50 લાખની સહાય મળે એ માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ GVK EMRI સંસ્થા દ્વારા તેમના પરિવારજનોને સહાય મળે એ માટે સમયમર્યાદામાં કામગીરી કરી અરજી મોકલી આપવામાં આવી હતી. અધિક નિયામક, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ અને કલેકટરની કચેરી છોટાઉદેપુર સાથે જરૂરી સંકલન કરતા નિયત કાર્યવાહી પૂર્ણ કરતા પરિવારજનોને સમયસર સહાય મળે એ માટેની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવતા તેમના પરિવારના બેંક ખાતામાં રૂા. 50 લાખની સહાયની રકમ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર થકી જમા કરવામાં આવી હતા.

કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા સ્વ. રમણભાઇ બારીયાના પરિવારજનોને રૂા. 50 લાખની સહાય મળતા તેઓએ સમયસર સહાય મળે એ માટે જરૂરી કાર્યવાહી કરી .