રાજ્યમાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 151 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,21,995 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 619 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,06,812 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5,639 છે.
જો વેક્સિનેશનની વાત કરીએ તો હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 858ને પ્રથમ ડોઝ અને 5041 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 થી વધારે ઉંમરના 70199 લોકોને પ્રથમ અને 39799 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 353780 અને 18283 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.