કોરોના સંક્રમણ/ રાજકોટ જેલમાં 19 કેદીઓ કોરોના પોઝિટિવ

રાજકોટ જેલમાં કેદીઓ કોરોના સંક્રમિત

Gujarat
rajkot રાજકોટ જેલમાં 19 કેદીઓ કોરોના પોઝિટિવ

ભારતમાં કોરના મહામારીએ કહેર વર્તાવ્યો છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે .રાજકોટમાં પણ કોરોના કેસો વધુ નોંધાઇ રહ્યા છે. રાજકોટના પોપટપરા ખાતે આવેલી જિલ્લા જેલમાં પણ કોરોનાએ દસ્તક આપી છે  રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા 19 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને હાલ મહાનગરપાલિકા સંચાલિત રેનબસેરા ખાતે આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે જેલમાં અન્ય કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે પણ બે ડોક્ટરોની સાથે મેડિકલ ટીમ સત્તત જેલમાં કાર્યરત રાખવામાં આવી છે.

રાજકોટ જેલમાં સજા ભેગવી રહેલા કેદીઓને હાલ પરિવારને પ્રત્યક્ષ રીતે મળવાની મનાઈ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા કેદીઓને જો તેમના પરિવાર સાથે વાત કરવી હોય તો વીડિયો કોલ અથવા ફોન કરીને વાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જેને લઈને કેદીઓ પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે અને વીડિયો કોલમાં તેમને જોઈ પણ શકે. આ સિવાય જ્યારે જેલમાં કોઈ કેદીને પોઝિટિવ આવે તો તેના માટે અલગ બેરેક પણ રાખવામાં આવી છે. જ્યાં તે આયસોલેટ થઈ શકે છે. તેમજ કોઇપણ કેદીને કોરોનાના લક્ષણ દેખાત તો તાત્કાલિક તેનો રેપીટ ટેસ્ટ પણ અહીં કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.