કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઑફિસો, ખાનગી સંસ્થાઓ, એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો.જેમના લીધે સંક્રમણ ઓછુ ફેલાય શકે તેમને ધ્યાન માં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે .
આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને AMTS ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 390 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 2 ઑફિસોમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઑફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.
આગામી દિવસોમાં AMC ની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવશે.
સીલ કરવામાં આવેલી ઓફિસના નામ
- મેઘમણી હાઉસ, કોર્પોરેટ રોડ, પ્રહલાદ નગર
- વીરા ગોલ્ડ, નિરંત ક્રોસીંગ, વસ્ત્રાલ