- PMC બેંકનાં કૌભાંડથી ખળભળાટ
- પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંકની કથિત ગેરરીતિ
- PMC બેંક પર લાદવામાં આવી કલમ 35A
- સુરતવાસીઓ કરોડો રૂપિયા બેન્કમાં ફસાયા
- રૂ.1 હજારથી વધુ ઉપાડ પર RBIનો પ્રતિબંધ
- થાપણદારોનો આક્રોશ સાથે બેંકમાં ધસારો
“પાડાનાં વાંકે પખાલીને ડામ” આ કહાવત RBIએ બરોબર ફીટ બેસાડતો નિર્ણય જાહેર કર્યો છે. જી હા RBI દ્વારા સુરતમાં ચાર બ્રાન્સ ધરાવતી PMC બેંક એટલે કે, પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકમાંથી કોઇ પણ ખાતાધારક 1000થી વધુ રકમ ઉપાડી શકશે નહીં તેવો વિચીત્ર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને આ નિર્ણય એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે, PMC બેંકમાં કરોડો રૂપીયાનું કૌભાંડ આચરાયા હોવાનું સામે આવી રહ્યું છે.
સમગ્ર ઘટના એવી છે કે, સુરત શહેરમાં ચાર બ્રાન્ચ ધરાવતી PMC – પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ RBI દ્રારા બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને બેંકનાં તમામ વ્યવહારો સ્થગીત કરી દેવાની સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઇ પણ ખાતામાંથી 1000 કરતા વધુ રકમ ઉપાડી શકાશે નહીં.
RBI દ્વારા કૌભાંડીએ બેંકમાં પડેલા પૈસા સગેવગે ન કરી શકે તેવા કારણ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પ્રાથમિત દલીલો સામે આવી રહી છે.ત્યારે સામાન્ય ખાતાધારકનો આમાં શું વાંક-ગુનો કે તે પોતાના જ પૈસા ઉપાડવા માટે હાલ હકદાર રહ્યો નથી.
જુઓ આ અહેવાલ પણ મંતવ્ય ન્યૂઝ પર
કૌભાંડીઓ તો પોતાનું કામ કરી આબાદ નીકળી ગયા કે જે હોય તે પણ સામાન્ય ખાતેદારો RBIનાં આ નિર્ણયથી ફસાય ગયા હોવાનું સામે આવી રહ્યો છે. કૌભાંડના સમાચાર બહાર આવતા ખાતેદારોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તહેવારો આવતા પહેલા જ ખાતેદારોના રૂપિયા અટવાઈ પડ્યા છે.
બેંકની બહાર ખાતેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના નાણાં અટવાતા ખાતેદારોમાં રોષ જોવા મળ્યો હતો. એક બેંકીગ અંદાજ અનુસાર સુરતમાં PMC બેંકનાં કુલ મળીને 12000 ખાતેદારોનાં રૂ.30 કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કૌભાંડીઓનાં વાંકે ખાતેદાર ફસાયા હોવાની લાગણી જોવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.