રાજ્યમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા
આજે કોરોનાથી 190 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1377
સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં કોરોનાના 54 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના 46 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 16 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાનો 08 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 03 કેસ
ભાવનગર શહેરમાં કોરોનાના 01 કેસ
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાનાએક્ટિવ કેસની સંખ્યા 1377 થયા છે. જો રિકવરી રેટની વાત કરીએ તો 99.03 છે. આજે કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફરેલા કેસની સંખ્યા 190 છે. ગુજરાતમાં સૌથ વધુ કોરોનાના કેસ સુરતમાં જોવા મળ્યા છે. સુરત શહેરમાં કોરોનાના 54 કેસ નોંધાયા છે. જો અમદાવાદની વાત કરીએ તો કેસની સંખ્યા 46 છે. જ્યારે વડોદરામાં 16, રાજકોટ શહેરમાં 08, ગાધીનગરમાં03 અને ભાવનગર શહેરમાં કોરોનાનો 01 કેસ નોંધાયોછે.
એજ રીતે જો વલસાડમાંની વાત કરીએ તો ત્યાં કોરોનાના 08 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠામાં 07, વડોદરા જિલ્લામાં 07, ભરૂચમાં 06, પોરબંદરમાં 06, નવસારીમાં 05, મહેસાણામાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, દ્વારકામાં 02, ખેડામાં 02, કચ્છમાં 02, પંચમહાલમાં 02, ગીર સોમનાથમાં 01, જામનગર જિલ્લામાં 01, જામનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
હાલમાં તો કોરોનાના કેસમાં સતત વઘધટ જોવા મળી રહી છે. પરંતુ આવનારા સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મોસમ છે ત્યારે સરકાર તરફથી વધુ સજાગ બનીને રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.