- જામનગર નજીક ધ્રોલ પાસે અકસ્માત
- ધ્રોલ પાસે અકસ્માતમાં ત્રણનાં મોત
- કાર અને આઈસર વચ્ચે ટક્કર લાગતા બનાવ
- ગોકલપર ગામે ઘટનામાં ત્રણ લોકોનાં મોત
- એક વ્યક્તિને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયો
- મૃતકોના પરિવારમાં શોકનું મોજુ
Jamnagar accident ગુજરાતમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકતા હોવાથી અકસ્મતાના બનાવો બની રહ્યા છે. જામનગરમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ધ્રોલ નજીક કાર અને આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજયા છે. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ અકસ્માત (Jamnagar accident) એટલો ગમખ્વાર હતો કે આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે (Jamnagar accident)આઇશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જામનગરના ધ્રોલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત નિપજયા છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
કારોબારી બેઠક/સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ, લોકસભાની 26 બેઠકો જીતવા પર થશે ખાસ