World News: આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદ બાદ કચરાનો વિશાળ પહાડ (garbage pile) અચાનક ધસી પડતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. શહેરના સૌથી મોટા ખુલ્લા કચરાના ડંપમાં રવિવારે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ધસી પડતાં આસપાસના અનેક મકાનો, ઝૂંપડાં અને વાહનો પણ કચરાના મલબામાં દટાઈ ગયા હતા.
ભારે વરસાદ બાદ અચાનક ધસી પડ્યો કચરાનો ઢગલો | garbage pile
અધિકારીઓના જણાવ્યા મુજબ, રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદ (Heavy rain)ને કારણે કચરાના ઢગલામાં પાણી ભરાઈ ગયું હતું. પાણીના વધતા દબાણ અને વજનને કારણે કચરાના સ્તરો વચ્ચેની પકડ નબળી પડી હતી અને ઢગલો અસ્થિર બન્યો હતો. અચાનક કચરાનો મોટો જથ્થો નીચે સરકતાં નજીકમાં આવેલી ઝૂંપડીઓ અને મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો મલબામાં ફસાઈ ગયા હતા.
30 લોકોના મોત, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. છ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવકર્મીઓ સતત કચરાનો મલબો હટાવીને દટાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. (Rescue) કામગીરીમાં ટીમો દ્વારા ભારે મશીનરીની મદદ લેવામાં આવી રહી છે.
દાર એસ સલામ વિસ્તારમાં આવેલું છે શહેરનું સૌથી મોટું કચરાઘર
આ ઘટના કોનાક્રીના દાર એસ સલામ વિસ્તારમાં આવેલા ખુલ્લા કચરાના ડંપ (Dumping Site)માં બની હતી. આ સ્થળ શહેરનું સૌથી મોટું (Garbage) લેન્ડફિલ હોવાનું જણાવવામાં આવે છે. દુર્ઘટનામાં અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જ્યારે કેટલાક વાહનો પણ કચરાના ઢગલા નીચે દટાઈ ગયા હતા. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
પ્રશાસને અગાઉથી વિસ્તાર ખાલી કરવાની આપી હતી નોટિસ
સૈન્ય એન્જિનિયરિંગ બટાલિયનના સફાઈ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડ મામાદો બૈલો અનુસાર, આ લેન્ડફિલને રવિવારે બંધ કરવાની યોજના હતી. પ્રશાસને કચરાઘરની આસપાસ રહેતા લોકોને અગાઉથી વિસ્તાર ખાલી કરવાની નોટિસ પણ આપી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો ત્યાંથી અન્યત્ર ખસી ગયા હતા, પરંતુ દુર્ઘટના સમયે હજુ પણ કેટલાક લોકો આ વિસ્તારમાં હાજર હતા. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલન (Landslide)જેવા કચરાના ધસારાએ મોટી જાનહાનિ સર્જી હતી.
વધતી વસ્તી સાથે કચરા વ્યવસ્થાપન બન્યો મોટો પડકાર
ઘણા આફ્રિકન શહેરોમાં વસ્તી ઝડપથી વધી રહી છે, પરંતુ તેની સરખામણીએ કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપનની સુવિધાઓ એટલી ઝડપથી વિકસિત થઈ શકી નથી. તેના કારણે શહેરોની બહાર મોટા ખુલ્લા કચરાના ડંપ ઉભા થઈ રહ્યા છે. સમય જતાં કચરાના ઢગલા વધુ ઊંચા અને ભારે બનતા જાય છે. લાંબા સમય સુધી એકઠા થયેલા કચરાના વિવિધ સ્તરોમાં અસ્થિરતા સર્જાઈ શકે છે. ભારે વરસાદ દરમિયાન પાણી કચરાની અંદર પ્રવેશતાં તેનું વજન વધી જાય છે અને સ્તરો વચ્ચેની પકડ નબળી પડતાં આવા ભયાનક ધસારા સર્જાવાનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો :જૂનાગઢ ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, JCB અને ડમ્પર બળીને ખાખ
આ પણ વાંચો : ગાંધીધામ/ ડમ્પિંગ સાઈટને લઈને, ગ્રામજનોએ કચરાની ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો
