બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી દ્રારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેનાની સંસ્કૃતિ બિહારમાં આરજેડીની સંસ્કૃતિની સમાન છે. જેમ કે આરજેડીમાં રફિયન અને ગુંડાઓ છે, તેવું જ શિવસેનામાં છે. કોઈ પણ સરકાર શિવસેના જેવા પક્ષ સાથે લાંબા સમય સુધી નહીં ચાલી શકે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના લોકો આ જાણતા હતા.
આપને જણાવી દઇએ કદાચ બિહાર ભાજપના નેતાને આ વિસરાય ગયું હોય તેવું પણ બનેંં કે, શિવસેના અને ભાજપનું ગઢબંઘન સૌથી જુનુ ગઠબંઘન છે. અને સેના અને ભાજપ પાછલા 30 વર્ષથી સાથેે છે અનેક વખત ભાજપ-સેનાની મહારાષ્ટ્રમાં સરકાર રહી ચૂકી છે અને તેને તમામ ટર્મ પૂરી પણ કરી છે. તો કેન્દ્રમાં પણ ભાજપની સરકારમાં સેના મજબૂત ભગીદાર તરીકે અત્યાર સુધી જોવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.