કોંગ્રેસે મહારાષ્ટ્રમાં રાતોરાતની ઘટનાઓને રાજકીય મુત્સદ્દીગીરી અને જનાદેશનો દગો ગણાવ્યો છે. કોંગ્રેસના સંદેશાવ્યવહાર વિભાગના વડા રણદીપસિંહ સુરજેવાલાએ આજે આ ઘટનાની હાંસી ઉડાવતા ટ્વિટ કરીને કહ્યું છે કે, ” “मुझे मत देखो यूँ उजाले में लाकर,सियासत हूँ मैं, कपड़े नहीं पहनती।”.” આને જ કહેવાય જનાદેશની હાનશી અને લોકતંત્રની હત્યા ની સોપારી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, હવે સાબિત થઇ ગયું છે કેકે, ભાજપ લોકતંત્રની સોપારી લઇ ચુક્યું છે. મહારાષ્ટ્ર રાજ્યપાલ ફરી એકવાર શાહના હિટમેં તરીકે સાબિત થયા છે. રાષ્ટ્ર્પતીશાશ્ન કયારે ખસેડાયું અને કયારે સરકાર ની રચનાનો દાવો કરવામાં આવ્યો..? ક્યારે MLA નું લીસ્ટ સુપ્રત કરવામાં આવ્યું..? અને કયેર MLA રાજ્યપાલ સામે હાજર થયા..? અને આમ ચોરોની માફક શપથ વિધિ કેમ કરવી..?
આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અચાનક બનનારી ઘટના રાજકીય છેતરપિંડી અને રાજકારણીઓની મુત્સદ્દીગીરીનું પરિણામ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે કોંગ્રેસ સાથે છેતરપિંડી કરવાના સવાલ પર અલ્વીએ કહ્યું કે રાજકારણીઓની કુટિલતા અને મુત્સદ્દીગીરી છે કે તેઓ સત્તા માટે કંઈ પણ કરી શકે છે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા કહ્યું કે મોદીના નવા ભારતમાં પણ આવી જ રાજનીતિ જોવા મળી રહી છે. તેમને ફક્ત શક્તિની જરૂર હોય છે અને તેમને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.