Not Set/ તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

હેલ્થ એક્સપર્ટ🌱 ડોક્ટર વાચિની સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા તુલસી ના પાન 🌱 🌱 અત્યારે કોરોના જેવો વૈશ્વિક રોગ જ્યારે વ્યાપી રહ્યો છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવવા અને વધારવા માટે તુલસી ના પાન નો નિયમિત ઉપયોગ વિવિધ ઉકાળા માં કરવો ઉત્તમ ગણાય છે. 🌱રોજ બરોજ આપણે જાણે અજાણે વિવિધ પ્રકાર ના ઝેરી તત્વો શરીર માં […]

Health & Fitness
તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

હેલ્થ એક્સપર્ટ🌱
ડોક્ટર વાચિની

સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા તુલસી ના પાન 🌱

🌱 અત્યારે કોરોના જેવો વૈશ્વિક રોગ જ્યારે વ્યાપી રહ્યો છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવવા અને વધારવા માટે તુલસી ના પાન નો નિયમિત ઉપયોગ વિવિધ ઉકાળા માં કરવો ઉત્તમ ગણાય છે.

🌱રોજ બરોજ આપણે જાણે અજાણે વિવિધ પ્રકાર ના ઝેરી તત્વો શરીર માં ઉમેરીએ છીએ. આ ઝેરી તત્વો આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડે છે અને વિવિધ રોગો ને નોતરે છે.
આ ઝેરી તત્વો ને શરીર માંથી બહાર કાઢવા માટે અને પાચનતંત્ર ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તુલસી ખુબજ લાભદાયી બની રહે છે.

🌱આપણી આસ પાસ જોવા મળતા તુલસી ના છોડ એક નહીં પણ અનેક ગુણો થી ભરપુર છે.
તુલસી ની તાસીર ગરમ હોય છે માટે જ તે શરદી, ખાંસી કે છાતી માં જામેલા કફને દૂર કરવા માટે ઉપયોગી છે. તેના પાન ને ચા માં નાખી પીવાથી કે કાઢો બનાવી ને પણ લઇ શકાય છે.

🌱 તુલસી માં આવેલું લીનોલિક એસિડ ત્વચા માટે ખુબજ ઉપયોગી છે. તુલસી ના પાન લેવાથી અથવા તેની પેસ્ટ બનાવી ને ચામડી પર લગાવવા થી ચામડી ની વિવિધ તકલીફો જેમ કે શીળસ , ખરજવું ,ખીલ , ફોલ્લીઓ તેમજ એલર્જી ની સમસ્યા ઓ માં પણ રાહત મળે છે. તુલસી ત્વચા ને સ્વચ્છ અને મુલાયમ બનાવે છે.

🌱તુલસી માં ફાયાટોનુટ્રીઅન્ટ, ઍસેનશિયલ ઓઈલ તથા વિટામિન એ અને સી નું પ્રમાણ ખુબજ સારી માત્રા માં હોવાથી તે તાવ , બ્રોંકાઇટીસ અને અસ્થમાં માં પણ રાહત આપે છે.

🌱દાંત અને પેઢા ના દુખાવા માં પણ તુલસી ના પાન લેવાથી રાહત મળે છે.

🌱તેની અંદર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી કારસિનોજેનીક તથા એન્ટિ બાયોટીક ગુણો રહેલા હોવાથી તે વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.

🌱તુલસી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ નું પ્રમાણ પણ સંતુલિત રાખે છે. માનસિક હતાશા માં પણ તુલસી નું સેવન કરવું લાભદાયી બની રહે છે.

🌱 તુલસી વિવિધ રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, લિવર નો સોજો, સ્વાઇન ફ્લુ તથા ક્ષય ની સારવાર માં પણ લાભદાયી છે.

🌱તુલસી શરીર માં યુરિક એસિડ નું પ્રમાણ જાળવી રાખે છે તેથી પથરી ની સમસ્યા ને પણ થતી અટકાવે છે.

🌱તુલસી લોહી માં શુગર ( શર્કરા) નું પ્રમાણ જાળવી રાખી, ડાયાબિટીસ જેવા રોગો ની સારવાર માં પણ લાભદાયી છે.

🌱 તુલસી ના પાન ચા માં તથા કાઢા માં ઉમેરી લઇ શકાય છે. એવુું માનવું છે કે તુલસી ના પાન ને ચાવવા ને બદલે ગળા માં ચાવ્યા વગર જ ઉતારી લેવા વધુ હિતાવહ છે.

આમ ખુબજ લાભદાયી એવા તુલસી ના પાન નું નિયમિત સેવન કરવાથી રોગમુકત તંદુરસ્ત જીવન જીવી શકાય છે.

આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
આ પણ વાંચો-  
 મટી જશે એસીડીટી, ફ્કત બંધ કરી દો આ સમયે આ ચીજ ખાવાની
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ