યુપીના ઉન્નાવ જિલ્લામાં બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. લખનૌ-કાનપુર હાઈવે પર ગંગાઘાટ કોતવાલી વિસ્તારમાં ટ્રક સાથે અથડાવાને કારણે કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ટ્રકમાં સવાર ત્રણને ઈજા થઈ હતી.ઇજાગ્રસત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ બનાવથી સ્થળ પર ચકચાર મચી ગઈ હતી.ઇજાગ્રસત જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાં વિજય કુમાર (36) પુત્ર લક્ષ્મીનારાયણ, નારાયણ ગુપ્તા (57), રમેશ કુમાર ગુપ્તા (45)નો સમાવેશ થાય છે. ચોથા મૃતકની ઓળખ હજુ થઈ નથી. આ બધા હસનગંજના કહેવાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી,પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.