Gandhinagar News: ગુજરાતમાં ચૂંટણી ફીવર વચ્ચે બદલી અને બઢતીની પણ મોસમ જોવા મળી રહી છે. ગુજરાતમાંથી 4 આઈએએસ અધિકારીઓને દિલ્હીનું તેડું આવતા ડેપ્યુટેશન પર જશે. કે.કે.નિરાલા, મનીષા ચંદ્રા ડેપ્યુટેશન પર દિલ્હીમાં જશે. સુપ્રિતસિંહ ગુલાટી અને એસ. છાકછૂઆક કેન્દ્રમાં જશે.
ગુજરાત કેડરનાં 4 અધિકારીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. IAS મનીષા ચંદ્રા ડિફેન્સ પ્રોડક્શનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળશે. IAS એસ. છાકુછુઆકને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. IAS કે.કે.નિરાલાને જોઈન્ટ સેક્રેટરી તરીકે I&B માં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતના વધુ એક IPS અધિકારી દિલ્હી ખાતે ડેપ્યુટેશન અપાયું
આ પણ વાંચો:ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન
આ પણ વાંચો:ગુજરાત કેડરના IPS જી.એસ.મલીકને ડેપ્યુટેશન પર દિલ્હી મુકાયા,જાણો વિગત

