૭ જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે 12માં વર્ષે આ ચોકલેટ ડે ઉજવાય રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ચોકલેટ્સનો આવિષ્કાર આમ તો લગભગ 16 મી સદીમાં થયો હતો.આજે લગભગ તમામ વય જૂથના લોકો વિવિધ પ્રકારની ચોકલેટ્સ ખાવાનું પસંદ કરે છે. ચોકલેટ મૂડ સુધારવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમાં હાલમાં કોરોનાના ને લગતી ચિંતાઓને અને સ્ટ્રેસને કાબૂમાં રાખવા માટે પણ ડાર્ક ચોકલેટ ઉપયોગી થતી હોવાની માહિતી સામે આવી છે.
ચોકલેટ ફક્ત તેના સ્વાદ માટે જ નહીં, પણ તેના જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો અને સંબંધોને મધુર બનાવવાની આશ્ચર્યજનક ક્ષમતા ધરાવે છે. અને આપણા જીવનના કોઈપણ શુભ પ્રસંગ માટે તે ભેટમાં આપવાથી સંબંધોમાં લાગણીશીલ મીઠાશ તરીકે કામ કરે છે તેવું કહેવું પણ ખોટું નથી.
લોકો ચોકલેટના નિયમિત ભાગનો વપરાશ કરે તે સારું છે. ચોકલેટના 70 ટકા ભાગમાં કોકો હોય છે. અને તે રોગચાળાને કારણે ઉભા થતા તણાવને હરાવવા માટે મદદ કરે છે.અગાઉના ઘણા અભ્યાસોમાં ખુલાસો થયો હતો કે ચોકલેટમાં ઘણા આરોગ્ય લાભો હોય છે. સંશોધનકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે અઠવાડિયા સુધી દરરોજ 1.4 ગ્રામ ડાર્ક ચોકલેટ રાખવાથી હોર્મોન કોર્ટિસોલનું સ્તર તેમજ કેટેકોલેમિન્સ નામના હોર્મોન્સમાં ઘટાડો થશે.
આ મૂડને સુધારવામાં મદદ કરશે. બ્લડ પ્રેશર ઘટાડશે, ચયાપચયમાં વધારો કરશે અને આંતરડામાં માઇક્રોબાયલ પ્રવૃત્તિ કરશે. ડાર્ક ચોકલેટ્સના ગુણધર્મો એન્ટિવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ સહાય, હાયપરટેન્શનને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તાણથી રાહતની ખાતરી મળે છે.ડાર્ક ચોકલેટમાં મળી આવતા ફલાવોનોલ્સ અને પ્રોન્થોસાઇઆનિડિન્સમાં કોવિડ -19 વાયરસના મુખ્ય પ્રોટીઝ ને અવરોધિત કરવાની ક્ષમતા હોવાનું જોવા મળ્યું હતું.
સૌથી અગત્યની બાબત જે ધ્યાનમાં રાખવી આવશ્યક છે તે એ છે કે ડાર્ક ચોકલેટ ઇમ્યુનિટી વધારતી ખાદ્ય ચીજોમાંની એક છે, પરંતુ તાણને નિયંત્રિત કરવા માટે તેનો વધુ ઉપયોગ પણ ટાળવો જોઈએ. તેને સંતુલિત માત્રામાં ખાવી જ હિતકારક છે.