કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે હવે દેશમાં કોઈ પણ બેંક અથવા નાણાકીય સંસ્થાને રૂ .50,000 થી વધુનો વ્યવહાર કોઈ પણ વ્યક્તિને કરવો હોય તો તે વ્યક્તિએ ઓરિજનલ આઈડી રજુ કરવું ફરજિયાત છે. કેન્દ્ર સરકાર નું આ પગલું દેશ ના કાળા નાણાંની ઉપર લગામ ખેંચી રાખવા માટે ચાલુ કર્યું છે. આ નિયમને જારી કરવા માટે નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ વિભાગ દ્વારા મનીલૉન્ડરિંગ ના એક્ટ માં સુધારો કરવામાં આવ્યો છે.
આ નવા નિયમો પછી જો કોઇ વ્યક્તિ દેશના કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થાને રૂ. 50,000 થી વધુ રોકડ વ્યવહારો કરવા માંગતો હોય તો તે વ્યક્તિએ તેની ઓરિજનલ આઈડી બતાડવું જરૂરી રહેશે. નિયમ મુજબ બેંક અથવા નાણાકીય સંસ્થાએ ઓરિજનલ આઈડીના સાથે હાજર વ્યક્તિના ઓળખપત્રની નકલ સાથેની નવી નકલ પર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સની નોંધણી પણ કરવી પડશે.