નરેશ પટેલનાં જન્મદિવસને યાદગાર અને સમાજ ઉપયોગી બનાવવા માટે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રક્ત એ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવામાં આવી. પોતાના લાડીલા અને સમાજ માટે કાયમ ખડે પગે દરેક બાબતમાં સહકાર માટે ઉપસ્થિતિ નરેશભાઇને રાજકોટનાં રક્તદાતાઓએ 1700 બોટલ રક્ત એકઠું વધાવ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.