Gandhinagar News/ રાજ્યમાં પ્રાથમિક શાળાઓના 782 શિક્ષકોએ રજૂ કર્યા ખોટા CCC સર્ટિફિકેટ

રાજ્યમાં પ્રાથમિક શાળાઓના કુલ 782 શિક્ષકોએ ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. તેના પગલે હવે પ્રાથમિક શિક્ષણ નિયામકને તેની તપાસ કરવાના આદેશો છૂટ્યા છે. આગામી દિવસોમાં આના પગલે મોટી કાર્યવાહી થતી નજરે પડી શકે છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News: રાજ્યમાં પ્રાથમિક શાળાઓના કુલ 782 શિક્ષકોએ ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. તેના પગલે હવે પ્રાથમિક શિક્ષણ નિયામકને તેની તપાસ કરવાના આદેશો છૂટ્યા છે. આગામી દિવસોમાં આના પગલે મોટી કાર્યવાહી થતી નજરે પડી શકે છે.

તંત્ર સમક્ષ આ રીતે ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ પગાર, ઈજાફા અટકાવવા સુધીની કાર્યવાહી થશે. શિક્ષકો સામે ખાતાકીય તપાસ માટે સૂચના અપાઈ છે. નિવૃત્ત શિક્ષકોના કિસ્સામાં રીકવરી કરવા સૂચના અપાઈ છે. તમામ શિક્ષણાધિકારીને શિક્ષણ વિભાગનો પરિપત્ર પાઠવાયો છે.

આગામી દિવસોમાં શરૂ થનારી તપાસમાં આ દિશામાં કોઈ વધુ મોટો ફણગો ફૂટે તો પણ આશ્ચર્ય પામવા જેવું નથી. હવે કેટલા સ્થળોએ આ પ્રકારની કાર્યવાહી થશે તે અંગે કશું જણાવાયું નથી. આમ છતાં 782 શિક્ષકો સામે ખાતાકીય તપાસ તો શરૂ કરવામાં આવશે જ. જો કે તેમા સમય પણ લાગી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરના પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’ શિક્ષણની સાથે વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ એવોર્ડ વિજેતા…

આ પણ વાંચો: શાળા પ્રવેશોત્સવ-2025 બીજો દિવસ : મુખ્યમંત્રીએ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો

આ પણ વાંચો: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’, શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, 5 જુલાઈથી થશે અમલ