sea turtle/ આફ્રિકન ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકોના મોત, 70થી વધુ બીમાર

આફ્રિકન ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી આઠ બાળકો સહિત નવ લોકોના મોત થયા અને 70થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જ્યારે આ ઘટના ઝાંઝીબાર દ્વીપ સમૂહના પેમ્બા ટાપુ પર બની હતી. અહીં દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકો અને એક યુવકે…………

World
YouTube Thumbnail 2024 03 12T185840.873 આફ્રિકન ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકોના મોત, 70થી વધુ બીમાર

New Delhi News: આફ્રિકાના પેમ્બા દ્વીપ પર કાચબાનું માંસ ખાવાથી 9 લોકો મૃત્યુ પામ્યા છે. તેના બાદ અધિકારીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલી હતી. ત્યારે આ ટીમે લોકોને દરિયાઈ કાચબાનું માંસ ન ખાવાની સલાહ આપી હતી. જોકે, આવી જ ઘટના વર્ષ 2021માં પણ બની હતી.

આફ્રિકન ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી આઠ બાળકો સહિત નવ લોકોના મોત થયા અને 70થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જ્યારે આ ઘટના ઝાંઝીબાર દ્વીપ સમૂહના પેમ્બા ટાપુ પર બની હતી. અહીં દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકો અને એક યુવકે જીવ ગુમાવ્યા હતો, ત્યારે આ માહિતી મેટ્રો દ્વારા જાણવા મળી છે. તેમજ મકોની જિલ્લા તબીબી અધિકારી ડો. હાજી બકારીએ જણાવ્યું હતું કે 78 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઝેરના જોખમો હોવા છતાં પણ આ વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહથી પોતાના ભોજનમાં કાચબાનો માંસનું સેવન કરે છે. સાથે જ આ વિસ્તારમાં કાચબાનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી માનવામાં આવે છે. લોકો માને છે કે કાચબાના માંસનો સ્વાદ બીફ જેવો હોય છે.

WhatsApp Image 2024 03 12 at 6.23.09 PM આફ્રિકન ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકોના મોત, 70થી વધુ બીમાર

કાચબાનું માંસ ખાધા બાદ 75 લોકો હોસ્પિટલમાં દાખલ

ડો. બકારીએ જણાવ્યું હતું કે લેબમાં પરીક્ષણોએ પુષ્ટિ કરી છે કે તમામ બીમાર લોકોએ દરિયાઈ કાચબાનું માંસ ખાધું હતું ત્યારે તેમણે કહ્યું કે ક્યારેક કાચબાનું માંસ ઝેરી પણ હોઈ શકે છે, જે ચેલોનિટોક્સિકિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, તે ઝેરી હોવાનું કારણ બહાર આવ્યું નથી. ટર્ટલ ફાઉન્ડેશન ચેરિટી મુજબ એવું માનવામાં આવે છે કે કાચબો ઝેરી શેવાળ ખાય છે, તેથી જ તેમાં ઝેરના અંશ પણ હોય છે.

દરિયાઈ કાચબામાં ઝેરના અંશ મળ્યા

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, ‘ચેલોનોટોક્સિકિઝમ (દરિયાઈ કાચબાના માંસનું ઝેર) એ એક દુર્લભ અને ક્યારેક જીવલેણ પ્રકારનું ફૂડ પોઇઝનિંગ હોય છે, જે દરિયાઇ કાચબાનું માંસ ખાવાથી થાય છે.’ તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ લક્ષણોનું કારણ બને છે. તેના પછી “ન્યુરોલોજિકલ, હેપેટિક અને રેનલ ટોક્સિસીટી” આવે છે. ત્યારે નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનએ જણાવ્યું હતું કે, અભ્યાસ મુજબ દરિયાઈ કાચબાના તમામ ભાગો સંભવિત રીતે ઝેરી હોય છે. કાચબાનું માંસ ખાવાથી ઉબકા અને ઉલટી જેવા લક્ષણોથી લઈને કોમા અને મૃત્યુ જેવા ગંભીર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સુધીના લક્ષણો ઉત્પન થઈ શકે છે.

કાચબાનું માંસ ખાધા પહેલા જ 7 લોકો મૃત્યુ પામ્યા 

આફ્રિકાના પેમ્બા ટાપુ પર કાચબાનું માંસ ખાવાથી 9 લોકોના મોત થયા હતા તેના બાદ અધિકારીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલી હતી. ત્યારે આ ટીમે લોકોને દરિયાઈ કાચબાનું માંસ ન ખાવાની સલાહ આપી હતી. તમને જણાવી દઈએ કે આવી જ ઘટના વર્ષ 2021માં પણ બની હતી. તે સમયે પેમ્બા ટાપુ પર કાચબાનું માંસ ખાવાથી ત્રણ વર્ષના બાળક સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર ઝેરની સૌથી ખરાબ અસર બાળકો અને વૃદ્ધો પર થઈ શકે છે. ઇન્ડોનેશિયા, માઇક્રોનેશિયા અને ભારતના હિંદ મહાસાગર ટાપુઓમાં સમાન કેસ નોંધાયા છે, પરંતુ હજી સુધી ઝેરનો કોઈ ઇલાજ નથી મળ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ આપવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

આ પણ વાંચોઃGujarat/ રાજ્યમાં વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો

આ પણ વાંચોઃ