ગુજરાતમાં બનેલી મોરબી દુર્ઘટનાનો ગોજારો દિવસ ભુલાય તેમ નથી. સમગ્ર વિશ્વની નજર આ ઘટના પર છે. પુલ તૂટતાં અનેક પરિવાર વિખાઈ ગયા છે. આ ઘટનાને લઈને 9 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે.
નોંધનીય છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને મામલે મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી અને બે ક્લાર્કને જેલમાં મોકલવામાં આવ્યા છે.
- દિપક પારેખ(મોરબી)44 વર્ષ
- દિનેશ દવે(મોરબી)41
- મનસુખ ટોપીયા (મોરબી)59
- માદેવ સોલંકી( મોરબી)36
- પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63
- દેવાંગ પરમાર(ધ્રાંગધા)31
- અલ્પેશ ગોહિલ(દાહોદ)25
- દિલીપ ગોહિલ(દાહોદ)33
- મુકેશ ચૌહાણ(દાહોદ)26
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દ્વારા મોરબી દુર્ઘટનામાં 9 આરોપીઓની અટકાયત કરી લેવામા આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો આરોપી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે અટકાયત કરી હતી. જેમાં 2 મેનેજર,2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 બ્રિજ રિપેર કારનાર કોન્ટ્રાકટરની અટકાયત કરવામાં આવી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.