Breking News/ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું મોત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

Rajkotની મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના ૧૦મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Rajkot Trending Breaking News
Rajkot

Rajkot Marvadi University Girl Student Suicide:  રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય વિદ્યાર્થિની અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની એ વિંગમાં આ ઘટના બની હતી. સૌબર્નિકા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના AI આધારિત કોર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી

વિદ્યાર્થિનીએ(Rajkot) આ પ્રકારનું પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો, યુનિવર્સિટી અને અન્ય સંબંધિત લોકો પાસેથી માહિતી મેળવી ઘટનાના કારણ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશે પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થિની કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI આધારિત અભ્યાસ કરતી હતી અને બીજા વર્ષમાં હતી. ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી.

Rajkot

અગાઉ પણ હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું

મહત્વનું છે કે મારવાડી યુનિવર્સિટીની(Rajkot) હોસ્ટેલમાં અગાઉ પણ આવી જ દુઃખદ ઘટના બની ચૂકી છે. 15 જાન્યુઆરી 2025ના રોજ 19 વર્ષીય શા રેડ્ડી સાઇરામ રેડ્ડી નામના વિદ્યાર્થીનું હોસ્ટેલમાં મોત થયું હતું. તે મૂળ તેલંગાણાનો રહેવાસી હતો અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.

વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સહાય અંગે ચર્ચા

હાલની ઘટના બાદ વિદ્યાર્થીઓની(Rajkot) સુરક્ષા તેમજ અભ્યાસ દરમિયાન ઊભા થતા માનસિક દબાણને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, હાલની ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ઘટનાને લગતા તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:રાજકોટમાં નવપરીણિત મહિલાની પતિના અફેરના પગલે આત્મહત્યા

આ પણ વાંચો:રાજકોટમાં નિવૃત્ત ASIની આત્મહત્યાઃ લમણે ગોળી મારી

આ પણ વાંચો:રાજકોટમાં યુવતીની મંગેતર સાથે આત્મહત્યા: ઘેરાયા રહસ્યના વમળ