દાહોદઃ
દાહોદના ધાનપુરના પાંવ ગામ દિપડો કૂવામાં પડી ગયો હતો. મળતી માહિતી મુજબ આ દિપડો ઉછવાસ ફળિયા પાસે પક્ષીનો શિકાર કરવા માટે ગયો તે દરમિયાન પક્ષીનો શિકાર તો દિપડો ના કરી શક્યો પરંતુ દિપડો ઉછવાસ ફળિયામાં આવેલા કુવામાં ખાબકી ગયો.
આ ધટનાની જાણ ગામમાં આગની જેમ પસરી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા દીપડાને જોવા માટે કુવા પાસે આવી ગયા હતાં .
આ ઘટનાની જાણ ગામના લોકોએ ફોન કરીને રેન્જના વન વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને દિપડાને રેસ્કયું કરવાની તજવીજ હાથ ધરી હતી.