ભુજમાં અદાણી અંતર્ગત ચાલતી જી.કે જનરલ હોસ્પીટલમાં નવજાત શિશુઓના મોતની જાણ પડતા કલેકટરે તપાસ આદેશ જાહેર કર્યો હતો. જેથી આજ રોજ રાજ્ય કક્ષાની આરોગ્ય ટીમે હોસ્પીટલમાં દરોડા પાડ્યા હતા. આ નવજાત શિશુઓના મોતની ખબરની પુષ્ટિ કરવા માટે ગેઈમ્સ સાથે બંધ બારણે તપાસ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે ખરાબ સારવારના કારણે ચર્ચામાં આવેલી જી. કે જનરલ હોસ્પીટલ પર કોંગ્રેસે આક્ષેપ મુક્યો હતો કે હોસ્પીટલમાં છેલ્લા ૧૭ દિવસમાં ૨૬ નવજાત શિશુઓના મોત નીપજ્ય છે. તપાસ અને દબાદ બાત સાચો આંકડો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જાન થઇ હતી કે ખરેખર ૧૯ બાળકોના મૃત્યુ નીપજ્યા છે.
આરોગ્ય ટીમે મૃતક બાળકોના પરિવારને મળવાની વાત રજુ કરી હતી આ સિવાય તેમને વધુ માહિતીઓ જણાવી નહોતી. આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું કે આ બધી માહિતીઓ સરકારને આપશે તેવું જણાવ્ય હતું.