રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું હતું કે, ડિજિટલ પેમેન્ટ રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધા રવિવાર 18 એપ્રિલનાં રોજ 14 કલાક માટે બંધ રહેશે. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ આરજીટીએસમાં ટેકનિકલ સુધારો કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. આ માટે આ સુવિધા 17 એપ્રિલ શનિવારની મધ્યરાત્રીથી રવિવારે બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) ની સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈએ બેંકોને તેમના ગ્રાહકોને જાણ કરવા જણાવ્યું છે કે તેઓ ચુકવણી સરળ રાખવાની યોજના બનાવી દે.
Hurry up / બેંકમાં કામ હોય તો આજે જ પતાવી લેજો, સતત આટલા દિવસો બેંક રહેશે બંધ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ને નેશનલ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર (એનઇએફટી) અને રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધા બેંક બેંક પેમેન્ટ સિસ્ટમ સુધી લંબાવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહે આ માહિતી આપી હતી. અત્યાર સુધી ફક્ત બેંકોમાં જ આ સુવિધા હતી. આ સિવાય રિઝર્વ બેંકે ડિજિટલ પેમેન્ટની મર્યાદા પણ એક લાખથી વધારીને બે લાખ કરી દીધી છે. આરબીઆઈની નવી જાહેરાત મુજબ હવે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યુઅર્સ, કાર્ડ નેટવર્ક, વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સ અને ટ્રેડ રિસીવેબલ્સ રિઝર્વેશન સિસ્ટમ પ્લેટફોર્મ હવે આરટીજીએસ અને એનઈએફટીનો ઉપયોગ કરી શકે છે. આનાથી સૌથી મોટો ફાયદો પેટીએમ, ફોન પે, ગૂગલ પેમેન્ટ્સ જેવા ઓનલાઇન યુઝર્સને થશે.
ભારતીય વિકાસ દર / નેગેટિવમાંથી પોઝિટિવ દિશામાં આગળ વધતી ભારતીય ઇકોનોમી, ચીનને પણ આપશે ટક્કર
શું છે RTGS?
આરટીજીએસ એ ફંડ ટ્રાન્સફર કરવાની ઝડપી પ્રક્રિયા છે. આ સિસ્ટમ દ્વારા તમે એક બેંક ખાતામાંથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આરટીજીએસ એ ફુલ-ફોર્મ રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ છે. જો આરટીજીએસ અને એનઇએફટી વચ્ચેનો તફાવત જોવામાં આવે તો, તે બંનેનું કામ બેંક ખાતામાં ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરવાનું છે. જ્યારે એનઇએફટીમાં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, આરટીજીએસમાં તમારે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. એનઇએફટીમાં, ફંડ બીજા ખાતા સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે, પરંતુ આરટીજીએસમાં તે તુરંત જ પહોંચી જાય છે. આઇએમપીએસમાં, પૈસા તુરંત જ બીજાનાં ખાતામાં સ્થાનાંતરિત થાય છે. આ સેવા 24 કલાક કામ કરે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…