મચ્છરોનું કરડવાથી મલેરિયા થવો સામાન્ય વાત છે.જે ખૂબ ગંભીર બીમારી થઇ શકે છે. જો આ બીમારીનો યોગ્ય સમયે ઇલાજ કરવામાં ન આવે તો દર્દીનો જીવ પણ જઇ શકે છે. જેથી તમે તમારા ઘરની આસપાસની જગ્યાને સાફ રાખો અને પાણી એકઠું ન થવા દો. કારણકે તેના કારણે મચ્છરો થવા લાગે છે. જો તમે પણ મચ્છરોને દૂર કરવા માંગો છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવીશું જે મચ્છરને ઘરની બહાર નીકાળશે.

લીમડાનું તેલ
લીમડાના તેલને મચ્છર નાશક પણ કહેવામાં આવે છે. એક શોધ અનુસાર નારિયેળ તેલ અને લીમડાના તેલથી બનાવવામાં આવેલું મિશ્રણ ત્વચા પર લગાવવાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં આે. આ નુસખો ઓછામાં ઓછા 8 કલાક તેની અસર બતાવી શકે છે.

નીલગિરી અને લીંબુ તેલ
લીંબુના તેલમાં નીલગિરીનુ તેલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. તેને ત્વચા પર લગાવવાથખી મચ્છર દૂર રહેશે.આ તેલમાં એન્ટીસેપ્ટિક અને કિટ વિકર્ષક ગુણ રહેલા છે. જે શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે અને મચ્છર તેનાથી દૂર ભાગે છે.

તલનું તેલ
તલના તેલથી સહેલાઇથી મચ્છર કરડવાથી દૂર રહે છે. તેનાથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.

લવેન્ડર તેલ
લવેન્ડર સુગંધી હોવાની સાથે ખતરનાક મચ્છરોથી બચાવવા માટે પણ સારો ઉપાય છે. લવેન્ડર ફુલની સુગંધ મચ્છરને દૂર રાખે છે. તમે ઇચ્છો તો લવેન્ડર તેલને રૂમમાં પ્રાકૃતિક ફ્રેશનર તરીકે પણ છાંટી શકો છો. જેનાથી મચ્છર દૂર ભાગી જશે. તમે ઇચ્છો તો ક્રીમમાં આ તેલ મિકસ કરીને તમારી ત્વચા પર પણ લગાવી શકો છો.

ટી ટ્રી ઓઇલ
આ તેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોવાની સાથે મચ્છરોને દૂર ભગાડવામાં માટે ખૂબ અસરકારક સાબિત થયું છે. તેની દુર્ગંધ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોના કારણથી તે મચ્છરોને કરડવાથી બચાવે છે અને દૂર કરવામાં મદદ કરે છે.
