રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બીજા દિવસે પણ પાણીપૂરી વાળા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયુ હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં આ લોકોની પ્રોડક્શનનું ચેકિંગ કર્યું હતું. જ્યાં પાણીપૂરી બનાવાતી હોય ત્યાં તે સ્થળની તપાસ પણ કરી હતી.
અચાનક જાણે કે તંત્ર સફાળુ જાગી ગયુ છે. હાયજેનિક અને નબડી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરી પાણી પુરી બનાવવામાં આવતું હોવાનું આવ્યું સામે આવ્યું છે.અલગ અપગ 5 વિસ્તારમાં 24 જગ્યા એ કરવમાં આવ્યું ચેકીંગ.
અલગ 5 વિસ્તારમાં 24 જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યુ હતું. 22 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી..86 કિલો અખાદ્ય બટાકા, 51 કિલો ચણા, 55 કિલો તેલ અને 25 કિલો પુરીનો કરવામાં આવ્યો નાશ કરાયો હતો. આ તમામ વસ્તુઓ અખાદ્ય હોવાને કારણે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે.