પંચમહાલ,
પંચમહાલના ગોધરામાં આવેલા જૂની મામલતદાર કચેરીનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે. જૂની કચેરીના મકાનને તોડી તેની જગ્યાએ નવું બિલ્ડીંગ આકાર લેનાર છે. ત્યારે વહીવટી તંત્રની લાપરવાહીની ઉત્તમ નમૂનારૂપ ઘટના બનવા પામી હતી.
આ કચેરીના ડિસમેન્ટલની પ્રક્રિયા દરમિયાન કાટમાળમાંથી ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ મળી આવ્યા હતા.. ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ એ નાગરિકોની ઓળખ દર્શાવતા મહત્વના દસ્તાવેજ છે.
ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ વિગતોની વ્યવસ્થિત સાચવણીને બદલે તેને બેદરકારીપૂર્વક કાટમાળમાં પડેલા જોવાય તે અત્યંત શરમજનક ઘટના છે.