અમદાવાદ,
દેશભરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પ્રથમ માસિક પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના કાંકરિયા પીકનીક હાઉસ ખાતે પણ રાજ્યના મુખ્યપ્રધાન અને ધારાસભ્ય દ્વારા કાવ્યાંજલિનું પઠન કરવામાં આવ્યું હતું.
16 ઓગસ્ટે ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું નિધનથયું હતું. ત્યારે અમદાવાદના કાંકરિયા પીકનીક હાઉસ ખાતે પ્રથમ પૂણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગ રૂપે કાવ્યાંજલિનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.. કાર્યક્રમમાં અટલજીની કવિતાઓ ખ્યાતનામ કલાકારો દ્વારા ગાવવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથીને શ્રધાંજલિ આપવામાં આવી હતી..