ગાંધીનગર,
રાજ્યમાં પરપ્રાંતિયો મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને ભાજપ કોંગ્રેસના નેતાઓ સામ સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે ઢૂંઢર ગામમાં બનેલા દુષ્કર્મનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવામાં આવશે અને આ સાથે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાને કીધું હતુ કે કોંગ્રેસ પરપ્રાંતિયો મુદ્દે રાજકારણ રમી રહી છે અને અલ્પેશ ઠાકોરના આગેવાની નીચેના સંગઠન દ્વારા કેટલાક જગ્યાઓ પર ધમકી આપવામાં આવી હતી તેને કારણે ઉત્તર ગુજરાતમાં માહોલ ડોહલાયો હતો.