Not Set/ CAA ને લઇને ભાજપ આજથી ચલાવશે જાગૃતતા અભિયાન, ગૃહમંત્રી કરશે શરૂઆત

નાગરિકતા સુધારો અધિનિયમ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આજથી ભારતીય જનતા પાર્ટી નાગરિકતા સુધારો કાયદાનાં સમર્થનમાં અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભાજપ આ કાયદાનાં સમર્થનમાં પાંચ તબક્કામાં અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન આજથી શરૂ થશે, જે અંતર્ગત ભાજપનાં કાર્યકરો ઘરે ઘરે જઈને નાગરિકતા સુધારા કાયદા અંગે થઇ રહેલી ચર્ચાઓ […]

Top Stories India
mp amit shah to communicate jabalpurs public for caa on 12 january 730X365 CAA ને લઇને ભાજપ આજથી ચલાવશે જાગૃતતા અભિયાન, ગૃહમંત્રી કરશે શરૂઆત

નાગરિકતા સુધારો અધિનિયમ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આજથી ભારતીય જનતા પાર્ટી નાગરિકતા સુધારો કાયદાનાં સમર્થનમાં અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભાજપ આ કાયદાનાં સમર્થનમાં પાંચ તબક્કામાં અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન આજથી શરૂ થશે, જે અંતર્ગત ભાજપનાં કાર્યકરો ઘરે ઘરે જઈને નાગરિકતા સુધારા કાયદા અંગે થઇ રહેલી ચર્ચાઓ પર લોકોને જાગૃત કરશે અને આ કાયદા વિશે માહિતી આપશે.

ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈનને આ અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ છ સભ્યોની કમિટીની અધ્યક્ષતા સંભાળશે જે ઘરે ઘરે આ અભિયાન ચલાવશે. અનિલ જૈને કહ્યું કે, આ અભિયાન સંવાદ સમિતિ, વિશેષ સામાજિક સંપર્ક અભિયાન, સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા ચલાવવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અને દેશનાં ગૃહમંત્રી અમિત શાહ આજે આ અભિયાનની શરૂઆત દિલ્હીમાં કરશે, જ્યારે ગાઝિયાબાદથી આ અભિયાનની શરૂઆત ભાજપનાં કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડા કરશે.

લખનઉમાં આ અભિયાનની શરૂઆત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુરથી આ અભિયાનની શરૂઆત કરશે. જૈને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પાર્ટી લોકોને એક પુસ્તિકા પણ આપશે, જેમાં નાગરિકતા સુધારો અધિનિયમ વિશે સ્પષ્ટ માહિતી હશે. બીજા તબક્કામાં લોકોનો સંપર્ક કરવામાં આવશે. આ માટે દરેક શહેરમાં બૌદ્ધિકોની રેલી, કોન્ફરન્સ યોજાશે. તેમજ દેશનાં જુદા જુદા ભાગોમાં એક લાખ બેઠકો યોજાશે. આ અભિયાનનું સંચાલન રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ કરશે.

આ ઉપરાંત સમાજનાં દરેક વર્ગમાં જોડાઈને નાગરિકતા સુધારા કાયદા અંગે લોકોને જાગૃત કરવામાં આવે તેવી માહિતી પણ સામે આવી રહી છે. પાર્ટીનાં મહાસચિવ ભૂપેન્દ્રસિંહ યાદવ સમાજના વિવિધ ક્ષેત્રોનાં લોકોને મળશે. તે કલા, સંસ્કૃતિ, રમતગમત ક્ષેત્રમાં સામેલ લોકો સાથે વાતચીત કરશે અને તેમને નાગરિકતા સુધારા અધિનિયમ વિશે માહિતગાર કરશે. વળી, સોશિયલ મીડિયા દ્વારા, પાર્ટીનાં આઇટી સેલનાં વડા, અમિત માલવીયા, તમામ પ્રેસ કોન્ફરન્સ કરશે, તે દેશનાં જુદા જુદા ભાગોમાં 250 પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ પત્રકારો અને કટાર લેખકોને મળશે અને તેમને જાગૃત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.