કેન્દ્ર સરકાર ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે સંસદનાં શિયાળુ સત્રમાં બિલ લાવશે. મંગળવારે, સરકારે ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત બિલ સહિત લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદી જાહેર કરી. આ બિલમાં સરકારે પોતાની સત્તાવાર ડિજિટલ કરન્સી લાવવાની જોગવાઈ પણ કરી છે. આ બિલની ક્રિપ્ટો માર્કેટ પર ખરાબ અસર પડી છે અને તે ક્રેશ થઈ ગયું છે. તમામ મોટા સિક્કા લગભગ 15-20 ટકા નીચે આવી ગયા છે.
આ પણ વાંચો – Covid-19 / યુરોપનાં દેશોને WHO એ આપી ચેતવણી, કહ્યુ- કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોનાં થઈ શકે છે મોત
આપને જણાવી દઇએ કે, ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક હાથે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી શકાય તેવી તૈયારીઓ થઇ રહી છે. સરકાર સંસદનાં શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવી રહી છે. આવા સમાચાર સામે આવતા જ મંગળવારે તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સી ક્રેશ થઈ ગઈ હતી. તેમાંના મોટાભાગનામાં 15 ટકાથી વધુનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. Bitcoin લગભગ 15 ટકા, Ethereum 12 ટકા, Tether લગભગ 6 ટકા અને USD સિક્કામાં લગભગ 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં બિટકોઈનની કિંમત ઘટીને 40,28,000 રૂપિયા, Ethereumની કિંમત 3,05,114 રૂપિયા, Tetherની કિંમત 76 રૂપિયાની આસપાસ, Cardanoની કિંમત 137 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. સંસદનાં શિયાળુ સત્રમાં, સરકાર તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021’ (The Cryptocurrency & Regulation of Official Digital Currency Bill, 2021) લાવવા જઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી ટેક્નોલોજીનાં ઉપયોગમાં રાહત માટે, સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વતી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટેનાં માળખા માટે આ બિલમાં જોગવાઈ કરશે.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં એકવાર ફરી ઠંડીનો પારો ગગડ્યો, નલિયા બન્યુ ઠંડુગાર
સરકાર દ્વારા લોકસભાનાં બુલેટિનમાં આ બિલની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાણા પરની સંસદીય સમિતિમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધને બદલે નિયમનનું સૂચન કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, દેશમાં મોટી સંખ્યામાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. આ કરન્સીમાં ઉદય અને પતન બન્ને જોવા મળે છે. ભારતમાં, તેઓ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંથી સંચાલિત થાય છે તે હજુ પણ જાણી શકાયું નથી. આવી સ્થિતિમાં, સરકારે તેના વિશે નિર્ણય લેવાનું વિચાર્યું છે, જેને વધુ સારું પગલું માનવામાં આવી રહ્યું છે.