પશ્ચિમ કેન્યામાં કેરીચો વિસ્તારમાં એક બસ પલટી જતા ૫૫ મુસાફરોના મૃત્યુ થયા છે.
સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે આ બસના ડ્રાઈવરે બસ પર પોતાનો નિયંત્રણ ખોઈ દીધો હતો જેના લીધે આ એક્સિડન્ટ થયો હતો.
પોલીસ પ્રમુખ ફ્રાન્સીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે આશરે ચાર વાગ્યે થઇ હતી. અકસ્માતને ભેટેલી બસ નેરોબીથી પશ્ચિમ તરફ કાકામેગા તરફ જઈ રહી હતી. ઘાયલ થયેલા લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કેન્યામાં દર વર્ષે સડક દુર્ઘટનામાં આશરે ૩૦૦૦ લોકોના મૃત્યુ થાય છે પરંતુ ડબ્લ્યુએચઓના અનુમાન પ્રમાણે આ સંખ્યા ૧૨,૦૦૦ સુધીની છે.