ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેઓ અમદાવાદ આવીને માણસા પાસે આવેલા તેમના પૈતૃક ગામ જશે. અહીં પોતાના કુળદેવીની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને મળશે.
ગુજરાતમાં પરપ્રાંતીયો પર છેલ્લા સાતેક દિવસથી હુમલાના બનાવો સામે આવ્યા છે. ત્યારે અમિત શાહ બિન ગુજરાતી સંગઠનો સાથે બેઠક કરી શકે છે.
ગુજરાતમાં હાલ સ્થિતિ ખરાબ છે. પરપ્રાંતીય પર થતાં હુમલાને પગલે તેઓ ગુજરાત છોડીને પલાયન થઈ રહ્યા છે. તેવી સ્થિતિમાં ગુજરાતમાં પરપ્રાંતીયોને પરત લાવવાની પ્રક્રિયા અને આયોજન પર તેઓ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણ કરશે.