યુનિયન મિનિસ્ટર કે. જે. અલ્ફોન્સે કેરળ સરકારનાં સબરીમાલા મંદિરને લઈને લીધેલા પગલાની ટીકા કરી હતી. એમણે કહ્યું કે, સરકાર સબરીમાલા મંદિરને ‘વોર ઝોન’ બનાવી રહ્યું છે.
કે. જે. અલ્ફોન્સે કહ્યું કે, ‘રાજ્ય સરકાર મંદિર પરિસરને ‘વોર ઝોન’માં ફેરવી રહી છે. શ્રદ્ધાળુઓ આતંકવાદીઓ નથી, તેઓ યાત્રાળુઓ છે. મંદિર પરિસરમાં સેક્શન 144 લાગુ કરવાની શું જરૂર હતી? ‘
ભગવાન અયપ્પાનું મંદિર આજે વહેલી સવારે ખુલ્યું હતું. મંદિર પરિસરથી 68 લોકોને કસ્ટડીમાં લેવાયા હતા અને માન્નીયાર કેમ્પમાં લઇ જવામાં આવ્યા હતા.
કે. જે. અલ્ફોન્સ એક સિવિલ સર્વન્ટ, એડવોકેટ અને રાજકારણી છે. તેઓ ઇલેક્ટ્રોનીક્સ, અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટુરિઝમનાં સ્ટેટના યુનિયન મિનિસ્ટર છે.
