ખેડા,
ખેડા જિલ્લાના માતરમાં દેસાઈની પોળમાં બે કોમના ટોળા વચ્ચે ધાર્મિક તહેવારના ઝંડા લગાવવાને લઈને પત્થરામારો થયો હતો. એક કોમ દ્વારા ધાર્મિક ઝંડા લગાવવાનો વિરોધ કરતાં બીજી કોમ દ્વારા એક ગાડીમાં આગ લગાવી હતી. ઉપરાંત અનેક વાહનો અને દુકાનમાં તોડફોડના બનાવો બન્યા છે.
આ ઘટનામાં 3 વ્યિક્તઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જે તમામને માતર પ્રાથિમક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે અમદાવાદ રેન્જ આઇજી ઉપરાંત ખેડા જિલ્લાના એસપી સહીતનો ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ માતર પહોંચી ગયો હતો.
ખેડાના એસ.પીએ જણાવ્યું હતું કે ઓખા બજારમાં બે સમુદાય વચ્ચે માથાકુટ થઇ હતી. ધાર્મિક ઝંડાને લગાવવા માટે મુશ્કેલી થઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. અમે કાયદેસરની ફરિયાદ નોંધી વધું તપાસ હાથ ધરીશું. કેટલીક કાર, બાઇકને સળગાવવામાં આવ્યા હતા જેની તપાસ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હાલ ખેડા જીલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.