મોરબી,
ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જીલ્લામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ત્રણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જયારે બાકી બે તાલુકાને ઈનપુટ સબીસીડી સહાયની જાહેરાત કરવામા આવી છે.
જેમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકાને ૧૩૭.૬૭ કરોડથી વધુ સહાય મળશે. જીલ્લાના દુષ્કાળગ્રસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રોજગારીના પ્રશ્નો માટે મનરેગાના કામો શરુ કરવાનું આયોજન કર્યું છે જીલ્લામાં કેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે તેની માહિતી એકત્ર કરવામાં આવી છે.