બનાસકાંઠા,
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના દ્રારા ઓબીસી,એસ સી.એસ ટી સમાજની એકતા યાત્રાનો પ્રારંભ ગુજરાતના યાત્રાધાન અંબાજીથી કરવામાં આવ્યો હતો.
પ્રારંભ સમયે ગુજરાતભરમાંથી ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તો એકતા યાત્રા પાલનપુરના પારપડા ગામે પહોંચી હતી.
જયાં અલ્પેશ ઠાકેર સહિત યાત્રામાં હાજર હોદાદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્રારા ઓબીસી ,એસસી,એસટી સમાજોની થઇ રહેલી અવગણનાને લીધે અલ્પેશ ઠાકોર દ્રારા એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરંતુ લોકસભાની ગણતરીના મહિનાઓમાં આવી રહેલી ચૂંટણીના કારણે અલ્પેશ ઠાકોર દ્રારા શકિત પ્રદર્શન કરવામાં આવી રહયું હોય તેવું લોકોમાાં ચર્ચાઇ રહયું છે.