ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કરેલા નિવેદનથી હોવાળો થયો હતો.
સ્ટચ્યુ લોખંડના ભંગારથી બનાાવ્યું હોવાના પરેશ ધાનાણીના નિવેદનથી ભાજપના સભ્યોએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન વિજય રૂપાણીએ વિરોધ પક્ષના નેતાના નિવેદનનો વિરોધ કરીને શબ્દો પરત ખંચવાની માંગણી કરી હતી.
તેમજ સરદાર સાહેબનું અપમાન કર્યું હોવાનું જણાવીને માફી માંગવા કહ્યું હતું. તેમજ કેટલાક ધારાસભ્યો વેલીમાં ધસી આવ્યા હતા. હોબાળાના પગલે અધ્યક્ષે ગૃહની કામગીરી સ્થગિત રાખી હતી.