મહાજંગ – 2019માં દેશભરમાંથી હાલ સુધી આવી રહેલા વલણો અને પરિણામો જોવામાં આવે તો ભાજપે તમામ વિરોધીઓનાં સુપડા સાફ કરી નાખ્યા છે. લગભગ 58 ટકા વોટ શેર નોંધાવી ભાજપે તમામનાં મોં બંધ કરી દીધા છે. પછી એ કાશ્મિર હોય કે કન્યાકુમારી કે પછી દીદીનો ગઢ પં.બંગાળ કેમ ન હોય, અત્ર…તત્ર….સર્વત્ર….બસ….મોદી, મોદી અને મોદી જ જોવા મળી રહ્યું છે.
બઘા વચ્ચે જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસનાં તમામ દાવ અહીં ખોટા પડતા જણાય રહ્યા છે. કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલા જોરશોર પ્રચાર અને રાફ્લ, ખેડૂત, નોંટબંધી, GST, આર્થીક ભાગેળુંઓ, સેના, આતંકવાદ કે હિન્દુ આતંકવાદ કે અન્ય તમામ મુદ્દા ક્યાંય ટકતા દેખાઇ નથી રહ્યા ઉલટાનું રાહુલ ગાંધીની દ્રાર કરવામાં આવેલી 129 રેલીમાંથી 85 જગ્યા પર કોંગ્રેસનાં ઉમેદવારો ભારે માર્જીન સાથે કા તો પાછડ છે કા તો હારી ચૂંક્યા છે ત્યારે અને આ ચૂંટણી મુદ્દા અને એટલું જ નહીં પરંતુ પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી માંડીને તમામ દાવ પણ ખોટા સાબિત થયા છે.
કોંગ્રેસની હાલત હાલ અનેક રાજ્યામાં એક…બે…ત્રણ….બસસસ…. જોવી થઇ ગઇ છે. જી હા જે રાજ્યમાં કોંગ્રેસને મોટી આશા હતી અને જ્યા કોંગ્રેસ દ્રારા સ્પેશિયલ રણનીતિ અંતરગત કામ કરવામાં આવ્યું હતું તેવા રાજ્ય યુપી સહિતનાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ, ત્રીપુરા, બિહાર, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ, હરિયાણા, ગોવા, દિલ્હી, દદરા નગર હવેલી, ઉત્તરાખંડ, મણિપુરમાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવામાં મુશ્કેલ જણાય છે. તો આસામ અને બીજા બે ત્રણ રાજ્યોમાં એક…બે…ત્રણ….બસસસ…કહેવાની સ્થિતિ આવી ગઇ છે. કોંગ્રેસમાં ખુલ કોંગ્રેસ અધ્યક્ષ પોતાનો ગઢ પણ બચાવી શક્યા ન હોવાની આશંકા જોવા મળી છે. માત્રને માત્ર કોંગ્રેસનાં સોનિયા ગાંધી જ રાયબરેલીમાંથી જીત તરફ આગળ વધી રહ્યા છે. તો યુપીમાં જે કોંગ્રેસ બચાવવા નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધ્યાએ પોતે જ પોતાની પરંપરાગત બેઠક ગુના ગુમાવી દીધી છે. તો દિગ્ગી રાજાને ભોપાલમાં હારનો સામનો કરવો પડ્યો છે.