ગાંધીનગર,
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના 2.5 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો આજે હડતાળ પર ઉતરી ગયા છે, 10 હજારથી વધારે શિક્ષકો ગાંધીનગર વિધાનસભા ગૃહને ઘેરવાનાં પ્રયત્નોમાં છે. શિક્ષકો ગાંધીનગર વિધાનસભા પહોંચે તે પહેલા વૈષ્ણૌદેવી સર્કલ પાસેથી જ અટકાયત કરાઇ હતી અને હાલ વિધાનસભા ગેટ નંબર 7 બંધ કરાયો છે.
ત્યારે આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે શિક્ષકોએ ધીરજ રાખવી પડશે. આ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય નહીં આવે. બીજી બાજુ શિક્ષકો ગમે તેમ કરીને ગાંધીનગર આવી રહ્યાં છે પરંતુ પોલીસ તેમને અટકાવવા માટે શિક્ષકોની અટકાયત કરીને હળવો લાઠીચાર્જ પણ કરી રહ્યાં છે.