વડોદરા,
આયુષ્યમાન ભારત યોજનાએ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વની યોજના છે. આરોગ્યને લગતી તકલીફો સામે આર્થિક મદદ કરવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે.
યોજનાનાં લાભાર્થી યોજનાનો લાભ લઇ શકે એ માટે કેન્દ્ર સરકારે નિયમો પણ નક્કી કરેલા છે પરંતુ આ યોજનાનાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી.
તેમ છતાં કેટલાક ભેજાબાજ લોકો દ્વારા આ યોજના અંગે નકલી વેબ સાઈટની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને આ લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી કરવામાં આવે છે. નકલી વેબસાઈટ દ્વારા યુઝર્સના ડેટા મેળવીને લેભાગુ ભેજાબાજો ડેટા ચોરી છેતરપીંડી કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.