રાજકોટ,
રાજકોટના હરેશ મકવાણા ઉર્ફે બાપીનું મર્ડર થયાની ઘટના સામે આવી છે. રંગીલુ રાજકોટ જાણે ક્રાઇમ સીટી બની ગયુ હોય તેમ હત્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે વિનસ પાનના માલિક હરેશ મકવાણા ઉર્ફે બાપીનું મર્ડર થયુ છે. નાણાકીય વહીવટના લીધે મર્ડર કર્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.