મુંબઇ,
પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના દ્રારા પાકનું બાલાકોટમાં કરવામાં આવેલ એયર સ્ટ્રાઈક પર સમગ્ર દેશ પર ગર્વ અનુભવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સેનાની બહાદુરીને બોલિવૂડના સ્ટાર પર સલામ કર્યું છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઇન્ડિયન એયરફોર્સના સમર્થનમાં આગળ આવી અને ટ્વિટર દ્વારા તેણીએ આઈએએફને અપનાવી અને જય હિન્દ લખ્યું છે. પરંતુ આ વસ્તુ પાકિસ્તાનમાં હજમ થઇ નથી. પાકિસ્તાન દ્વારા ઓનલાઈન અરજી દાખલ કરતા પ્રિયકાને UNICEF ગુડવિલ એમ્બેસેડરથી હટાવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે “જો બંને દેશો વચ્ચે ન્યુક્લિયર વોર થાય છે, તો તે માત્રને માત્ર ત્રાસદી જ હશે.” UNICEF ના બ્રાંડ એમ્બાસ્ડર હોવાના લીધે પ્રિયંકા ચોપરાને ઇન્ડિયન એયરફોર્સના ફેવરમાં ટ્વિટ કરવું જોઈતું હતું. અભિનેત્રીને શાંતિ અને નિષ્પક્ષતા રજૂ કરવાની જરૂર છે. તેના દ્રારા કરવામાં આવેલ ટ્વીટ UNICEF બ્રાંડ એમ્બાસ્ડર હોવાના કારણે ખોટી છે અને તેઓ તેને ડિઝર્વ નથી કરતી.
આપને જણાવી દઈએ કે અરજી પર કેટલાય લોકએ સાઈન કરી છે. પેટીશનમાં ક્યાય પણ જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જણાવીએ કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનું જવાબદાર આ આતંકવાદી સંગઠન હતું. હુમલામાં સીઅર્પીએફના 40 જવાનો શહીદ થયા હતા. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તાણવની અસર બંને દેશોની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહ્યો છે. જ્યાં એક બાજુ ભારતના પાકિસ્તાના કલાકારોની આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાને પોતાના દેશમાં કોઈ ભારતીય ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.
ફિલ્મોની વાત કરવામાં આવે તો હોલીવુડથી વાપસી કર્યા બાદ પ્રિયંકા ચોપરા ફરી એક વાર બોલિવૂડમાં કમબેક માટે તૈયાર છે. તેઓ સોનાલી બોસના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વાસિમ પણ દેખાશે. તેની રિલીઝ ડેટ 11 ઑક્ટોબર, 2019 રાખવામાં આવેલ છે.