આરટીઇની પ્રવેશ પ્રક્રિયામાં સ્કૂલોનો ક્રમ ન દર્શાવાતા વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે.વાલીઓની માગ છે કે કુલ સ્કૂલોની કેટલી સંખ્યા છે અને પ્રવેશ પ્રક્રિયામાં કોઇ સ્કૂલનો ઉમેરો કે ઘટાડો થયો છે કે નહીં તેની જાણ થતી નથી.
ભવિષ્યમાં પોર્ટ પર સ્કૂલોને ડાયસ નંબર સાતે માહિતી મૂકવા માંગ કરી છે.સ્કૂલનો ડાયસ નંબર અને સ્કૂલોનને ક્રમ ન આપવાથી સમગ્ર પ્રક્રિયાની વચ્ચે જ સ્કૂલોની સંખ્યા વધી કે ઘટી શકે છે.આ ઉપરાંત સરકારે સ્કૂલને કેટલા વર્ગોની મંજૂરી આપી છે તેની માહિતી પણ પોર્ટલ પર મૂકવામાં આવી નથી.
જો આ માહિતી પોર્ટલ પર મૂકવામાં આવે તો કોઇ સ્કૂલ પોતાની આરટીઇની સીટો સંતાડી શકશે નહીં.સરકારે સમગ્ર રાજ્યની અનામત સીટોની માહિતી આપે છે..જ્યારે સ્કૂલ પ્રમાણે ખાલી સીટોની માહિતી વાલીઓને જોવા મળતી નથી.