સાબરકાંઠા,
સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઈડરના જાદર ખાતે ભાજપના કાર્યક્રમમાં 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાના હસ્તે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો. અશોક પટેલ પાટીદાર સમાજના અગ્રણી છે જેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળી ગયા છે.