ક્ચ્છ,
વાયુ વાવાઝોડાની અસર તળે કચ્છથી સૌરાષ્ટ્ તરફ જતા એસટીના 19 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે.સોમનાથ , જાફરાબાદ , રાજકોટ , પોરબંદર , ભાવનગર ની બસો રદ કરી દેવાઈ છે.તો ભારે પવન અને વરસાદી માહોલના પગલે આજે ક્ચ્છ મુંબઈની બે ટ્રેનો પણ રદ કરી દેવાઈ છે તો ભુજ થી મુંબઈ જનારી એર ઇન્ડિયાની એકમાત્ર ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવાઈ છે..વાયુ વાવાઝોડાની અસર તળે કચ્છમાં હવાઈ ,રેલ અને બસ સેવાને અસર પહોંચી છે…જિલ્લામાં સ્થળાંતરની કામગીરી માટે 74 એસટી બસો ફાળવાયેલી છે.