Not Set/ અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે : રાજ્ય સરકાર

આ વર્ષે દબદબાભેર અમદાવાદમાં 144મી રથયાત્રાને મંજૂરી અપાઈ છે.  12મી જૂલાઇએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

Gujarat Others Trending
rathyatra અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે : રાજ્ય સરકાર

ભક્તજનોની આતુરતાનો અંત આવ્યો છે. ભગવાન જગન્નાથના ભક્તો કાગ ડોળે ભગવાનની નગરચર્યાની રાહ જોઈ રહ્યા હતા. અને હવે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આગામી અષાઢી બીજે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે દબદબાભેર નગરચર્યાએ નીકળશે.

જી હા. આજ રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દબદબાભેર અમદાવાદમાં 144મી રથયાત્રાને મંજૂરી અપાઈ છે.  12મી જૂલાઇએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. શરતોને આધિન રથયાત્રાને મંજૂરી અપાઈ છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સરકારની મંજૂરી મળ્યા બાદ હવે ભગવાનની નગરચર્યાને આખરી ઓપ આપવામાં આવશે. રાજ્ય સરકારે કોરોનાના કહેરને ધ્યાને રાખીને શરતોને આધીન મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથની રથયાત્રાએ મંજુરી આપવામાં આવી ના હતી. જેને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.