ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના દિલીપસિંહ ડોડિયા આર્મી જવાન જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં શહીદ થયા છે. શહીદ દીલિપસિંહને એક બાળકી છે અને તેમનો સમગ્ર પરિવાર જમ્મુમાં રહે છે. જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાવ દિલીપસિંહનાં માદરે વતન ભાવનગર જીલ્લાનાં કાનપર ગામમાં માતમ છેવાઇ ગયો છે.
જવાન દિલીપસિંહ જમ્મુ-કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં આર્મીનાં જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. દરમિયાન આર્મીની વાન કોઇક અગમ્ય કારણોસર પલટી ખાઇ ગઇ હતી. આર્મી વાન પલટી ખાઇ જતા તેમા સવાર અનેક જવાનોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત જવાનોમાં દિલીપસિંહ ડોડીયાને પણ ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ દિલીપસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.