આસામમાં 17 જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. જાણે આભ ફાટયું હોય તેવા ભારે ભારે વરસાદ તારાજીનો માહોલ સર્જાયો છે. તો ચારે બાજુ પાણી ભરાતાં હાલાકી વધતાં 4 લાખ સ્થાનિકોનું સ્થળાંતર કરાવવામા આવ્યું છે.
આસામમાં મેઘો આફત બનીને વરસ્યો છે. આસામના 33 જિલ્લામાંથી 21 જિલ્લા પૂરમાં સપડાયા છે. બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓ અહીં તોફાની બની છે. કાંઠાના 1500થી વધુ ગામ ટાપુમાં ફેરવાયા છે. ત્યારે હજુ પણ વરસાદ યથાવત રહેશે લોકોની મુશ્કેલી વધી રહી છે. પૂર અને ભારે વરસાદના પગલે અત્યાર સુધી 8.69 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલનના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.