ટેક્સ પેયર્સ અને રિટર્ન ભરનારા માટે સારા સમાચાર આવી ગયા છે. ટેક્સ પેયર્સ આનંદો!! રિટર્ન ભરવાની તારીખ લંબાવાઇ ગઇ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત તા.31 જુલાઈથી એક મહિનો વધારીને તા. 31 ઓગસ્ટ કરી દેવામા આવી છે.
P.Y. 2018-19નાં વર્ષ માટેની પહેલા 31 તારીખ અંતિમ તારીખ હતી, જો સરકાર દ્વારા 31 ઓગસ્ટ કરવાને કારણે કરદાતાઓ અને સી.એ., ટેક્સ પ્રેક્ટીશનર્સને રાહતનો શ્વાસ મળ્યો છે. ગત નાણાંકીય વર્ષ માટે લગભગ 50 ટકા જેટલા પગારદાર કરદાતાઓને હજુ સુધી 16-A ફોર્મ પણ મળ્યા ન હોવા, સહિતના વિવિધ કારણોસર cbdt દ્રારા રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત તા. 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
નવા નિયમ અનુસાર, તમારે ઇન્કમટેક્સ રિટર્ન દર વર્ષે ફાઇલ કરવું જરૂરી છે. આમતો સરકાર દ્વારા 5 લાખ સુધીની આવકને કરમુક્ત ગણવામાં આવી છે, પરંતુ જો કોઇની આવક વાર્ષિક 2.5 લાખ હોય તો તેને ITR ફાઇલ કરવું ફરજીયાત છે. IT રિર્ટન ફાઇલ કરી સેક્શન 87-A મુજબ 5 લાખ સુધીની આવકમાં કરમુક્તીનો લાભ મળવા પાત્ર છે. જો કોઇ આમ છતા પણ ITR ફાઇલ નથી કરતું તો, આયકર વિભાગની નોટિસ અને દંડનો મળવા પાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.